ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધંધુકામાં રેલી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ધંધુકાના લોકો સાથે એમનો નજીકનો સંબંધ રહ્યો છે. PM એ ભીમ રાવ આંબેડકરની પુણ્યતિથી પર એમની શ્રદ્ધાંજલિ આપતાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા. 1956માં આજના દિવસે જ બાબા સાહેબ આંબેડકરનું નિધન થઇ ગયું હતું.
રામ જન્મભૂમિ બાબકી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કરતાં પીએમએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું. કોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી હાજર થયેલા કપિલ સિબ્બલનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે એ મુસ્લિમ સમાજની તરફથી રજૂ થયા એની પર મને કોઇ જ વાંધો નથી પરંતુ એ એવું કહી રીતે કહી શકે કે કેસ પર 2019ની ચૂંટણી પહેલા કોઇ નિર્ણય ના લેવાય? આ લોકસભા ચૂંટણીથી કેવી રીતે જોડાયેલું છે.
ટ્રિપલ તલાક કેસનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે જ્યારે કેસ કોર્ટમાં હતો જ્યારે બધા કહી રહ્યા હતા કે હું યૂપી ચૂંટણીના કારણે કંઇ બોલીશ નહીં લોકોએ મને કહ્યું હતું કે બોલશો તો ચૂંટણી હારી જશો પરંતુ હું ચૂપ રહ્યો નહીં.
પીએમએ કહ્યું કે એક પરિવારે બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. મોદીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસ પર પંડિત નહેરૂનો પૂરો અધિકાર થઇ ગયો હતો ત્યારે એમને પૂરો પ્રયત્ન કર્યો હતો કે કોંગ્રેસની સરકારના કારણે આંબેડકરને ભારત રત્ન મળ્યો નહતો.
મોદીએ કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતમાં ટેંકર રાજ ખત્મ કર્યું પહેલા આ બિઝનેસ કોંગ્રેસના નેતાઓ અને એમના પરિવારના હાથમાં રહેતો હતો. રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે મંદિર મંદિર ફરવાથી ગુજરાતમાં વીજળી આવી નથી.
એને ભાજપનો ગઢ માનવામાં આવે છે અહીંની કુલ 21 વિધાનસભા સીટોમાંથી 17 પર ભાજપનો કબ્જો છે. અહીંયા બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે વોટિંગ થવાનું છે.