અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્રથી સીધા અમદાવાદ ખાતે મતદાન કરવા પહોંચ્યાં હતા. જ્યાં રાણીપની નિશાન વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.
જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શાહપુરની હિન્દી શાળામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં અને કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી વેજલપુરમાં મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદમાં સિદ્ધાર્થ પટેલ ડભોઈમાં અને શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. જ્યારે વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાએ પણ છોટા ઉદેપુરમાં મતદાન કર્યું હતું.
ગાંધીનગરમાં PM મોદીના માતા હીરાબાએ સેકટર-22ના બૂથ નંબર 171 પર મતદાન કર્યુ. પીએમ મોદીના ભાઇ પંકજ મોદીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યુ હતું. શીલજની શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઘાટલોડીયા વિધાનસભાની બેઠક પરનું મતદાન કર્યુ હતું.
ત્યારે ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન કર્યુ છે. આ દરમિયાન તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
પંચમહાલ ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીએ પોતાના પરીવાર સાથે મતદાન કર્યુ હતું. અને નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.
અરવલ્લી જિલ્લામાં ભિલોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનિલ જોશીયારાએ ઘરે પૂજા અર્ચના બાદ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. અને મતદાન કરી પોતાની જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો.
વિધાનસભા 2017ના બીજા તબક્કાનું આજે મતદાન શરૃ થઈ ચૂક્યું છે. આજે મોડાસા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ ઠાકોરએ સવારે ઘરે પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ પોતાના પરિવાર સાથે મોડાસાના ગુજેરી ખાતે મતદાન મથક પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલે સૌ પ્રથમ મતદાન કરી લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પોતાના ગામ ભાચરની શાળામાં મતદાન કર્યુ હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમારે મતદાન કર્યુ હતું. ગાજણમાં મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
છોટાઉદેપુરના કલેકટર વિજય ખરાદીએ મતદાન કર્યુ હતું. તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
દાહોદ ગામના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભરે મતદાન કર્યુ હતુ.
અમદાવાદની 21 બેઠકો પૈકી વિરમગામના કોંગી ઉમેદવાર લાખા ભરવાડે વહેલી સવારે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાની દિયોદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેસાજી ચૌહાણે મતદાન કરી જીતનો આશાવાદ વ્યકત કર્યો.
ગોધરાના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારએ મતદાન કર્યું. ગોધરાના ચર્ચ પાસે આવેલ મતદાન મથકમાં મતદાન કર્યું.
આણંદમાં સાસંદ દિલિપ પટેલે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે જિલ્લામા કૂલ 7 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે
અમદાવાદના ઘાટલોડીયા બેઠકના ભાજપ ઉમેદવાર ભુપેન્દ્ર પટેલે Vtv સાથે ખાસ વાતચીત કરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.
વટવા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ મતદાન કર્યુ છે. પ્રદિપસિંહ જાડેજાએ 42 વટવા વિધાનસભામાં પોતાનો મત આપ્યો હતો.
ભિલોડા સીટ ઉપર ભાજપના ઉમેદવાર પી.સી. બરંડાએ આજે મતદાન કર્યું હતું. અને પોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મહિસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કુબેર ડિંડોરે મતદાન કર્યું. કુબેર ડિંડોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અને મતદાનના આ પર્વમાં મતદાન કરી પ્રજાને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.
પંચમહાલમાં મંત્રી જયદ્રથસિંહ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમામને મતદાન કરવા અપીલ કરી હતી. સ્થાનીક લોકોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડા જિલ્લાના મહુધાના ભાજપના ઉમેદવાર ભારતસિંહ પરમારે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ફતેપુરામાં મતદાન કર્યુ હતું.
વિરમગામમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર મતદાન મથકે પહોચ્યા હતા. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અલ્પેશ ઠાકોરે મતદાન કર્યું.
સાવલી 135 વિધાનસભા ઉમેદવાર સાગર કોકોએ કુમારશાળામાં મતદાન કર્યું. અને સાથે જ જનતાને મતદાન કરવા આહવાન કર્યું હતુ. સાવલી વિધાનસભામાં કોંગ્રેસ જ આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.
પાટણ ચાણસ્મા બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઠાકોરે મતદાન કર્યુ હતું. દાતરવાડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
જનવિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વારણ ગામમાં મતદાન કર્યુ હતું.
ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.
મહેસાણાના કડીમાં નીતિન પટેલ અને તેમના ભાઈ રાજેન્દ્ર પટેલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. નીતિન પટેલ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રાંતિજ વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે મતદારન કરી નાગરીકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
અમદાવાદની એલિસબ્રિજ શાળા નંબર 7 -8 માં મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વૈને મતદાન કર્યુ. જણાવ્યુ કે દરેક મતદારોએ મતદાન કરવો એ એક અધિકાર છે. તો તમામ નાગરિકો મતદાન કરવાનું ચુકશો નહીં.
મુખ્ય સચીવ જે.એન.સિંઘે પણ મતદાન કરી લોકશાહીના પાવન પર્વને વધાવ્યું છે.
મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે જીવાભાઈ સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે.
થરાદમાં વિધાનસભાની અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે મતદાન કર્યુ હતુ. આ દરમિયાન માવજીભાઈ પટેલે કહ્યુ કે થરાદના લોકો મને મત આપીને જીતાડશે. અને તેમણે જીતની આશા પણ વ્યક્ત કરી હતી.
અરવલ્લીના ભિલોડોમાં ભાજપના ઉમેદવાર પી.પી.બરાન્ડાએ મતદાન કર્યુ છે. પી.પી.બરાન્ડાએ ભિલોડાના વાંકાટિબા ગામમાં મતદાન કર્યુ હતુ. પી.પી.બરાન્ડાએ તેમની 102 વર્ષીય મા સાથે મતદાન કર્યુ હતુ.
ખેડાની ઠાસરા બેઠક માટે ભાજપના ઉમેદવાર રામસિંહ પરમારે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અહીં કોંગ્રેસે કાંતીભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.
વડોદરા ડભોઇ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિદ્વાર્થ પટેલે પત્ની સાથે મતદાન કરીને ભાજપ પર પ્રહારો કર્યા.
ડાકોર ખાતે 105 વર્ષના સીનીયર સીટીઝન મતદાર રામજીભાઈ રબારીએ મતદાન કર્યુ. ડાકોરના બાલમંદિર બુથ ઉપર મતદાન કર્યા બાદ મતદાન કરવા યુવાઓને અપીલ કરી હતી.
અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે મતદાન કર્યું છે.
અમદાવાદ ઠક્કરબાપા વિધાનસભા ભાજપ ઉમેદવાર વલ્લભ કાકડિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીનો જે 150 સીટનો લક્ષ્યાંક છે જેમા 151 મી બેઠક ઠક્કરબાપા નગર હશે. લોકોને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કામ કરશે.
બાપુનગરમાં જગરૂપસિંહે પણ મતદાન કર્યુ છે. મહત્વનુ છે કે જગરૂપે સિંહ બાપુનગરના ભાજપના ઉમેદવાર છે. ત્યારે તેમણે પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યુ છે. આ દરમિયાન તેમણે પોતાની જીતની આશા પણ વ્યકત કરી હતી.
સાબરકાંઠાના ભાજપના સાંસદ દિપસિંહ રાઠોડે મતદાન કર્યુ હતું. અને મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પાસના કન્વીનર હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યુ છે. આ દરમિયાન હાર્દિક પટેલે લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.