ગાંધીનગર: નવા સર્જાયેલા ઓખી વાવાઝડાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ભયાનક તબાહી સર્જાય તેવી શકયાતા ઉભી થઈ છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠો ઓખી વાવાઝોડું વધારે તીવ્ર બની શકે છે.તેવી શકયતાને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યમના મુખ્યસચિવ જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્સ્થ રહ્યા હતા. આ બેઠકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીના આગામી પ્લાન વિશે ચર્ચા હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાને કારણે આજે સવારથી જ મધ્યગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા ગુજરાતના વિવિધ સ્થળો પર વરસાદ થવા પામ્યો હતો.
વાવઝોડાને પગલે કોઇ વ્યાપક નુકસાન ન થાય તે માટે તંત્રને સાબદું રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ગુજરાતના સુરત જીલ્લાની શાળાઓમાં રજા આપી દેવામાં આવેલ છે.