નર્મદાઃ સરકાર દ્વારા નર્મદાનુ પાણી રાજ્યમાં આપવામાં આવે તેવા અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે સરકારના અભિયાન માત્ર કાગળો પર હોય તેવુ લાગી રહ્યુ છે. નર્મદા બંધના હ્રદય સમાન રિવર બેડ પાવર હાઉસ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે. સરકાર દ્વારા નર્મદામાં 30 ગેટ બનાવવામાં આવ્યા છે.
આ ગેટો માત્ર ટેસ્ટિંગ માટે ચાલુ રહે છે બાકી સતત બંધ રહે છે. જેના કારણે વહેતી નર્મદા નદી હાલમાં સુક્કી ભઠ્ઠ થઈ છે. મહત્વનુ છે કે નર્મદા 2016માં ઓવરફલો થઈ હતી. આ દરમિયાન રિવરબેડ પાવર હાઉસની સપાટી 115 મીટર રહેતી હતી. પરંતુ આજે પણ નર્મદાની જળ સપાટી 121.65 મીટર છે તેમ છતા પણ પાવર હાઉસ બંધ રાખવામા આવે છે.
મહત્વનુ છે કે ભારતીય સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે. નદી કિનારે રહેતા લોકોનુ જીવન નદી આધારિત હોય છે. પરંતુ નર્મદા વિશ્વમાં માત્ર એક એવી નદી છે જેની લોકો દ્વારા પ્રતિક્રમા કરવામા આવે છે. જોકે હાલમાં આ નદીમાં પાણી ન હોવાથી લોકો અહિયા નિવાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 17 જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમના દરવાજા બંધ કર્યા હતા. જો કે હાલમાં 138.50 મીટર ટોપ પર આવતા પણ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા RBPHના કોઈ ટર્બાઇનો કરવામાં આવ્યા નથી જ્યારે નર્મદાના બાંધની સપાટી ઉંચી હોવા છતા પણ પાવરહાઉસ ચાલુ કરવામાં આવ્યા નથી. જેના કારણે કેનાલમાં પણ પાણી મળતુ નથી. નદીમાં પાણી ન છોડવામાં આવતા ગંદકીમા પણ વધારો જોવા મળી રહ્યો છે.