ઓબીસી એકતા મંચના યુવા નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે જામનગર થી યુવા એકતા યાત્રાની શરૂઆત કરવામાં આવી. આ યાત્રામાં 50થી વધુ જ્ઞાતિઓના અગ્રણીઓ જોડાયા હતા.
આ યાત્રા જામનગરથી દ્વારકા સુધી જશે. આ યાત્રા આજે સવારે 9 વાગે જામનગર થી શરૂ કર્યો હતો અને રોડ શો કરવામાં આવ્યો હતો અને આજે સાંજે આ રોડ શો દ્વારાકા પહોંચશે. આ યાત્રા નાધેડી બેડ ખાવડી મેઘપુર પાટીયા થી થઈને દ્વારકા પહોંચશે.
આ રેલીનુ 14 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત ખાંભણીયા ભાટિયા અને દ્વારકા ખાતે અલ્પેશ ઠાકોર યુવાનોને સંબોધશે. મહત્વનુ છે કે આ કાર્યક્રમનુ આયોજન ઓબીસી એકતા મંચ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને આ કાર્યક્રમમાં 152 કિલોમીટરનો રોડશો કરવામાં આવશે.
ઓબીસી એકતા મંચ દ્વારા યોજવામાં આવી યુવા એકતા યાત્રા
યાત્રા યોજવામાં આવી અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં
જામનગરથી શરૂ કરવામાં આવી યાત્રા
આજે સાંજે 7 વાગે પહોચશે યાત્રા દ્વારકા ખાતે
યાત્રાનુ 14 જગ્યાએ કરવામાં આવશે સ્વાગત
ગુજરાતના દરેક સમાજનું કલ્યાણ થાય. અસ્મિતા અને એકતા જળવાય તે માટે દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા બાવન ગજની ધ્વજા ચડાવી ગુજરાત એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમ ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું રાજ્યને જતી ધર્મના ભાજપના પ્રયાસ સામેની આ અમારી યાત્રા છે એમ ઉમેર્યું હતું.