આજથી ભાજપની ચૂંટણી કમિટિની બેઠક શરૂ થશે. આ બેઠક 26મી ઓક્ટોબર સુધી મળશે. બેઠક અમદાવાદના ચાંદખેડાના શાંતિનિકેતનમાં મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 14 સભ્યો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણીના ઉમેદવારોને લઇને ચર્ચા થશે. મીટિંગમાં પાર્ટીના બધા સુપરવાઇઝર સામેલ થશે. પાર્ટીએ દરેક જિલ્લા માટે 3 સુપરવાઇઝર નિયુક્ત કર્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી દર એક વિધાનસભા માટે 2-3 વિકલ્પોને શોર્ટ લિસ્ટ કરી શકે છે. ત્યારબાદ આ યાદીને નવી દિલ્હી સ્થિત 11 અશોક રોડ મોકલવામાં આવશે જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની દેખરેખમાં અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ન કરવાને લઇને ટીકાનો સામનો કરી રહેલ ચૂંટણી પંચએ પહેલી વખત મૌન તોડ્યું છે. ચૂંટણી કમિશનર ઓપી રાવતનું કહેવું છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે પંચ એની સાથે જ જશે.
કમિશનરે કહ્યું કે કોઇ પણ પ્રકારની અર્થવ્યવસ્થાના ફેલાય એટલા માટે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. પંચે એ વાતનો સ્વિકાર કર્યો કે એમને ખબર હતી કે તારીખોની જાહેરાત ના કરવા પર ટીકા થશે પરંતુ પંચ એની સાથે જ આગળ વધશે.
ઓપી રાવતે કહ્યું કે 'કોઇ અન્ય વિકલ્પ પર વિચાર કરવાનો સમય નથી. જો અમારી પાસે સમય હોત તો કદાચ અમે બીજા વિકલ્પો પર વિચારો કરતાં.' રાવતે કહ્યું કે અમે 9 અને 10 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત કરી હતી. કેરળ અને પંજાબમાં 11 એ પેટાચૂંટણી થનારી હતી. આવનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત 12 એ થનારી હતી.