નિફટીએ તાજેતરમાં જ 9800નો આંક પાસ કાર્યના સમાચાર થઇ શેર બજાર સાથે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ વખતે 0.2 નો ખાસ વધારો થતા માર્કેટમાં વ્યવહારો કરતા લોકોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે અમેરિકા અને ઉત્તર કોરિયા અને ચીન અને ભારત વચ્ચે જયારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે નિફ્ટમાં થોડાક દિવસના સમયગાળામાં 2 વગર ઉછાળો આવતા સૌ ખુશ થાવ પામ્યા હતા.
આખા અઠવાડિયા દરમિયાન મુખ્ય સૂચકાંક બીએસસી અને નિફ્ટીમાં 0.2 ટકાનો વધારો નોંધાયો હતો. હવે સોમવારથી સ્ટોકમ ર્કેટમાં વેપાર શરૂ થશે. દેશના શેર માર્કેટ આજે શુક્રવારે ગણેશચતુર્થીની રજા પાડશે ત્યાર બાદ સીધા હવે સોમવારથી જ શેરમાર્કેટમાં વેપાર થઈ શકશે.આ દિવસો દરમિયાન બોમ્બો સ્ટોક એક્સચેન્જ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં કોઈ પણ વેપાર થશે નહીં. ઉલ્લેખનીય છે કે આજે શેરમાર્કેટમાં ગણેશચતુર્થીની રજા છે અને અઠવાડિયામાં શનિવાર અને રવિવાર સ્ટોક માર્કેટ બંધ હોય છે.
ગુરૂવારે બજારમાં મિશ્ર સંકેતોને પગલે ઘરેલુ સ્ટોક માર્કેટની સપાટ ચાલ રહી હતી. આખા દિવસના ઉતાર ચઢાવ બાદ બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ તથા નિફ્ટી નજીવા વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી ગુરૂવારે 9 850 અને સેન્સેક્સ 31 580ની સપાટીએ બંધ થયો હતો. આ અઠવાડિયામાં નિફ્ટી અને સેન્સેક્સમાં 0.2 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.