રાજકોટઃ રાજકોટમાં ખેડૂતોએ મગફળીની હરાજી અટકાવી છે. મગફળીના ભાવ નીચા જતા ખેડૂતોએ હરાજી અટકાવી હતી. રાજકોટ યાર્ડમાં SPGએ હરાજી ખોરવી હતી. ઉલ્લેખનીય છે કે લાભપાંચમના દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવાની જાહેરત કરી હતી. સરકારે 900 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો.
રાજય સરકારના જણાવ્યા અનુસાર આ વખતે 32 લાખ ટન જેટલી મગફળીનુ ઉત્પાદન થાય તેવી શકયતા છે. રાજયમાં 106 કેન્દ્રો પરથી આ મગફળીની ખરીદી કરાશે. પરંતુ રાજકોટમાં મગફળીના ભાવ નીચા જવાથી ખેડૂતોએ હરાજી અટકાવી હતી.