ભરૂચઃ શહેરના નબીપુર નજીક ખાનગી બસમાં જતી જાનને અકસ્માત નડ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં દુલ્હન સહિત 4 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 12થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માત ભરૂચના નબીપુર નજીક બનવા પામ્યો હતો. ઘટનાને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મંગળફેરા ફરી આવી રહેલ દુલ્હનને અકસ્માત નડયો છે. જેમાં નવવધુનું મોત થયું છે. સાથે 4 અન્ય લોકોના પણ મોત થયા છે. અકસ્માત સર્જાતા બસમાં સવાર 10 જાનૈયાઓને ઇજા પહોંચી છે. નબીપુર નજીક ખાનગી બસને અકસ્માત નડયો હતો.