જો તમે ડિપ્રેશન જવી સમસ્યાથી પીડાતા હોવ તો તમારે હવે ડિપ્રેશન દૂર કરવા માટે ગોળીઓ ગળવાની જરૂર નહી પડે એક રિસર્ચ અનુસાર દ્રાક્ષ ખાવાથી ડિપ્રેશન જેવી બીમારીઓ સરળતાથી દૂર થઈ જાય છે. રિસર્ચર્સ નું માનવુ છે કે ભોજનમાં દ્રાક્ષનો સમાવેશ કરવાથી તેની માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. દ્રાક્ષ ન ખાનારા અથવા તો ઓછી ખાનારા લોકોમાં ડિપ્રેશનનું વધુ પ્રમાણ જોવા મળે છે અને તેના માટે તેમણે મનોચિકિત્સકની મદદ લેવી પડે છે. આથી વ્યક્તિએ નિયમિત દ્રાક્ષ ખાવાની આદત પાડવી જોઈએ.
ઑનલાઇન 'નેચર કોમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર દ્રાક્ષમાં એવા કુદરતી તત્વો રહેલા છે જેને કારણે માનસિક ચિંતાઓ દૂર થાય છે.
રિસર્ચર્સ તથા ન્યુયોર્કના ઈકાહ્ન સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસર ગિયુલિયો મારિયા પસિનેત્તીએ જણાવ્યું ''દ્રાક્ષમાં રહેલુ પોલિફિનોલ કમ્પાઉન્ડ ઉત્તેજના સાથે જોડાયેલા કોષોને સક્રિય બનાવે છે. આથી ડિપ્રેશનથી પીડાતા લોકો માટે તે ફાયદાકારક છે.''
રિસર્ચર્સે જણાવ્યું ''દ્રાક્ષમાંથી તૈયાર બાયોએક્ટિવ ટાયટરી પોલિફિનોલ ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મદદ કરે છે. શોધમાં તેનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો હતો અને તેનુ પરિણામ ખાસ્સુ સકારાત્મક આવ્યુ છે.''