UIADIએ કહ્યુ કેકેન્દ્ર અને રાજ્ય સરકારની 200થી વધારે વેબસાઇટોએ કેટલાક આધાર લાભાર્થીઓના નામ અને એડ્રેસ જેવી જાણકારી સાર્વજનિક કરી દીધી છે. આધાર જાહેર કરનારી સંસ્થાએ એક RTIના જવાબમાં કહેવામાં આવ્યું છે કેતેમને આ ઉલ્લંઘન વિષે જાણ છે અને આ વેબસાઈટ્સ પરથી માહિતી હટાવી લેવામાં આવી છે. આ સ્પષ્ટ નથી કે ઉલ્લંઘન ક્યારે થયું.
UIADIએ કહ્યુ કેઅમારી તરફથી આધારની વિગતો ક્યારેય તેમના તરફથી આધારની માહિતી ક્યારેય પણ સાર્વજનિક કરવામાં નથી આવી. જાણવા મળ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કેન્દ્ર સરકારરાજ્ય સરકારના વિભાગોની લગભગ 210 વેબસાઈટો પર આધાર કાર્ડ લાભાર્થીઓના નામસરનામાં અને અન્ય જાણકારીઓ સાર્વજનિક કરવામાં આવી હતી. પરંતુ હવે આ વેબસાઈટ્સ પરથી આ માહિતી હટાવી લેવામાં આવી છે.
UIDAIએ 12 અંકોની વિશિષ્ટ ઓળખની સંખ્યા જાહેર કરી છે જે દેશના કોઇ પણની ઓળખ અને ઘરના એડ્રેસનું પ્રુફ હોય છે. ઉલ્લેખનીય છે કેકેન્દ્ર સરકાર વિવિધ સામાજિક સેવા યોજનોઓનો લાભ ઉઠાવવા માટે આધારને અનિવાર્ય બનાવવાની પ્રક્રિયામાં છે.RTIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે UIDAIનું તંત્ર ઘણું વ્યવસ્થિત છે અને તે હાઈ લેવલ સિક્યોરિટી જાળવી રાખવાનો સતત પ્રયાસ ચાલુ જ રાખે છે. ડેટાની સુરક્ષા અને પ્રાઈવસી જાળવી રાખવી તંત્રની અત્યંત મહત્વની અને મોટી જવાબદારી છે.