નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડને લઇને લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એ વિવિધ કલ્યાણકારી સ્કીમોને આધાર સાથે લિંક કરવાની સમયસીમા આવતા વર્ષની 31 માર્ચ સુધી વધારવા માટે તૈયાર છે જો કે આ યોજનાઓથી આધાર લિંકને અમલમાં મૂકવાના કેન્દ્રના પ્રયાસોને પડકાર આપનારી અરજી પર કોર્ટ આ સપ્તાહે વિચાર કરશે નહીં.
અત્યાર સુધી બેંક અકાઉન્ટસને આધાર સાથે લિંક કરવાની સમયસીમા 31 ડિસેમ્બર છે. એ જ રીતે મોબાઇલ નંબરથી આધાર લિંકિંગની સમયસીમા અત્યાર સુધી 6 ફેબ્રઆરી 2018 સુધી છે. હવે કાર્ડ લિકિંગને ફરજીયાત બનાવવા માટને કેસમાં સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ આગળ સુનવણી કરી શકે છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે એ એની પર ત્યારે સુનવણી કરશે જ્યારે કેન્દ્ર દિલ્હી વિવાદ ઉકેલાઇ જશે.
આધારથી ઘણા પ્રકારની સેવાઓને લિંક કરવાનું અમલમાં મૂકાઇ ગયું છે. હાલમાં આધારને ઇન્શ્યોરન્સ પોલિસીથી લિંક કરવાને મની લોન્ડ્રિંગના બીજા સંશોધન નિયમ 2017 હેઠળ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. વીમા નિયમનકાર ઇરડાએ આ વાત 8 નવેમ્બર 2017એ આપેલા પોતાના નિવેદનમાં કહી. આ પ્રકારે આધારને લિંક કરાવવાનો નિયમ જીવન વીમા કંપનીઓ અને સામાન્ય વીમા કંપનીઓ પર લાગૂ થઇ ગયો છે જેમાં સ્વાસ્થ્ય વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે.