ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે રાહતના સમાચાર છે. સરકાર આ નિર્ણય પર વિચાર કરી રહી છે જે લોકો ડિજીટલ અથવા કેશલેસ પેમેન્ટ કરશે એમને જીએસટી પર 2 ટકાની રાહત આપવામાં આવે. એના માટે બે હજાર સુધીનું પેમેન્ટ કરનારાઓને રાહત મળશે.
એના માટે સરકાર નાણા મંત્રાલય આરબીઆઇ કેબિનેટ સચિવ અને આઇટી એન્ડ ઇલેક્ટ્રોનિક મંત્રાલયની વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકારે કહ્યું કે એ દરેક પ્રકારના ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માંગે છે.
આવું એટલા માટે કારણ કે સરકાર ઇચ્છે છે કે લોકો રોકડનો ઉપયોગ ઓછો કરે. પીએમ મોદીએ પણ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી લોકોને આગ્રહ કર્યો હતો કે એ રોકડનો ઉપયોગ ઓછો થાય એવું કરે.
આ પહેલા પણ સરકારે ઘણી વખતે ડિજીટલ ટ્રાન્જેક્શન વધારવાનું કહી ચૂકી છે. પ્રધાનમંત્રીએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી થઇ રહેલા વધારા પર સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે એનાથી ભ્રષ્ટાચાર પર સિકંજો કસવામાં મદદ મળશે.
પીએમએ કહ્યું કે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી ભ્રષ્ટાચારને ખૂબ હદ સુધી નિયંત્રિત કરવામાં આવી શકે છે. એમને ખુશી છે કે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધી રહ્યું છે.