નવી દિલ્હી: દર મહિને વધતાં રસોઇ ગેસ સિલેન્ડરના ભાવોથી જો તમે પરેશાન થઇ ગયા છો તો પછી નવ વર્ષમાં કેન્દ્ર સરકાર તમને એક મોટી રાહત આપી શકે છે.
મળતી માહિતી અનુસાર સરકાર આ બાબતે જલ્દી નિર્ણય લઇ શકે છે. 1 ઓક્ટોબરથી તેલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો નથી. જો કે માર્ચ 2018 સુધી સબ્સિડી ખતમ કરવા માટે સરકાર અને કંપનીઓ પોતાની તરફથી પૂરો પ્રયત્ન કરી રહી છે.
તેલ કંપનીઓએ ઓક્ટોબર સુધી છેલ્લા 17 મહિનામાં 19 વખત ભાવ વધારી દીધા છે. એવી રીતે એલપીજીના ભાવમાં 76.50 રૂપિયાનો વધારો થઇ ગયો છે. સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ ગત વર્ષે જુલાઇથી એલપીજીના ભાવ દર મહિને પહેલી તારીખે વધારતી આવી છે કારણ કે સરકારસ સબ્સિડીને 2018 સુધી સમાપ્ત કરવામાં આવી શકે.
દેશભરમાં આશરે 18.11 કરોડ એલપીજી ગ્રાહક છે જે સબ્સિડી વાળા સિલેન્ડર લે છે. એમાં 3 કરોડ ગરીબ મહિલાઓ પણ સામેલ છે જેને ઉજ્જવલા સ્કીમ હેઠળ મફત કનેક્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2.66 કરોડ ગ્રાહકો એવા છે જે લોકોએ પોતાની સબ્સિડીને છોડી દીધી છે.