રાજ્યમાં સ્વાઈનફ્લૂના વધતા કેરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાઈવેટ હોસ્પિટલોનો કેટલોક ભાગ સરકાર હસ્તક લેવા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હસ્તક હોસ્પિટલના ભાગમાં સ્વાઈન ફ્લૂની સારવાર કરવામાં આવશે. સ્વાઈન ફલૂ બાબતે સરકાર જાહેરનામું બહાર પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર વધી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લૂને કારણે 9 વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આજે 191 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. સ્વાઈન ફ્લૂ દ્દે શંકર ચૌધરીએ નિવેદન કર્યુ હતુ કે સ્વાઈન ફ્લૂને લઈને ક્રોસ સ્વોડની રચના કરવામાં આવી છે.
તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા નમૂનાઓની ફરી તપાસ કરવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફિસર અન્ય જિલ્લામાં જઈ તપાસ કરશે. તેમજ ખાનગી હોસ્પીટલને સરકાર હસ્તક લઈ સારવાર આપશે તેમ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
સ્વાઈનફ્લૂ પર સતર્ક
રાજ્યમાં સ્વાઈનફ્લૂના વધતા કેરને ધ્યાનમાં રાખી સરકારનો નિર્ણય
પ્રાઈવેટ હોસ્પિટલોનો કેટલોક ભાગ સરકાર હસ્તક લેવા નિર્ણય
સરકાર હસ્તક હોસ્પિટલના ભાગમાં સ્વાઈન ફ્લૂની અપાશે સારવાર