ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રજપૂત સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહની મધ્યસ્થીના કારણે સમાધાન થયું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.
વાઘાણી સામે રજપૂત સમાજે બુધેલ ગામની જમીન પચાવી પાડવાનો લગાવ્યો હતો આરોપ અને બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીને ખોટી રીતે ફસાવ્યાનો પણ લગાવ્યો હતો આરોપ પરંતુ હવે સમાધાન થઈ જતા ભાજપ માટે સારા સમાચાર છે.
વાઘાણીનો વિરોધ કેમ ?
બુધેલ ગામમાં ગૌચર જમીન પર કબજાની હતી માથાકૂટ
જમીન આપવા બાબતે સરપંચે સમર્થન ન આપતા ફસાવ્યા હતા
બુધેલના સરપંચ દાનસંગ મોરીને ખોટી રીતે ફસાવ્યાનો હતો આક્ષેપ
પોલીસે 6 મહિના જેલમાં નાખી કર્યો હતો દમન
સામાન્ય કેસમાં 60 પોલીસનો કાફલો ઘરે આવતો હોવાનો આક્ષેપ
દાનસંગ જેલમાં હતા ત્યારે પરિવારને હેરાન-પરેશાન કરાતો
દાનસંગના સમર્થનમાં હતા લોકો પણ પોલીસ હતી વાઘાણીની પડખે
દાનસંગના સમર્થનમાં સ્વયંભૂ સમાજ અને અન્ય લોકો જોડાયા
સરપંચની નિષ્ઠાના કારણે સમાજ આખો તેમની પડખે
કારડિયા સમાજના સમર્થનમાં ઉતર્યા નાડોદા અને ગરાસિયા
દાનસંગના સમર્થનમાં આવ્યા હતા પાટીદાર આગેવાનો
પાટીદાર આગેવાનો પર ખોટા કેસ કરી તેમને પણ ફસાવ્યા
વાઘાણીના આ દમન બાદ સમગ્ર ગામ અને આસપાસના લોકો ઉશ્કેરાયા
આસપાસના ગામડાંના કારડિયા સમાજના લોકો આવ્યા સંમેલનમાં
દુઘેલમાં મળેલા સંમેલનની પડી હતી મોટી અસર
પાટીદાર પ્રભાવિત એવો ભાવનગર જિલ્લો ભાજપને ભારે પડશે
પાટીદાર અનામત આંદોલન અને હવે પ્રમુખ સામે સીધો આક્રોશ
ભાવનગરના બુધેલ ગામમાં રાજપૂતો "મટયા હતા
ભાજપ પ્રત્યે છે બે સમાજ પહેલાથી નારાજ
પાટીદાર દલિત સમાજ છે ભાજપથી નારાજ
સમગ્ર રજપૂત થઈ શકે છે નારાજ
સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર છે કારડિયા મતદારો
ભાવનગરમાં મળી શકે છે શક્તિસિંહને લાભ
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને થઈ શકે છે તકલીફ