જૂનાગઢઃ દિવાળીના વેકેશનમાં ફરવાના શોખીન સહેલાણીઓ માટે આનંદના સમાચાર છે. આજથી ગીર અભયારણ્ય સાસણ ખાતે એશિયાટિક વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે. તે માટે આજથી સહેલાણીઓ માટે સિંહ દર્શનનો માર્ગ મોકળો થયો છે. આજથી સહેલાણીઓ સિંહ દર્શનનો લહાવો લઈ શકશે. વનઅધિકારીઓએ પ્રવાસીઓની ટુકડીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનનો પ્રારંભ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 16 જૂથી 15 ઓક્ટોબર સુધી વન-વિભાગ દ્વારા સિંહોના સંવનનકાળને ધ્યાનમાં લઈને ચોમાસામાં સિંહદર્શન બંધ કરી દેવામાં આવે છે. અને આ પ્રતિબંધ 15 ઓક્ટોબર સુધી રહેતો હોય છે. દિવાળીના વેકેશનમાં સહેલાણીઓનો સાસણગીર ખાતે સિંહ દર્શન માટે મોટા પ્રમાણમાં ધસારો રહેતો હોય છે.