આમ તો આદુ આપણ ચાથી લઇને દાળ સુધીની દરેક વાનગીમાં યૂઝ કરતા હોઇએ છીએ. કયારેક શરદી-ઉઘરસ જેવી બિમારીઓથી મુક્તિ માટે આદુનો ઘરગથ્થુ ઔષદી તરીકે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આદુના બીજા પણ કેટલાક ચમત્કારિક ફાયદા છેજેની તમને જાણ નહી જ હોય..
આદુના પાણથી થાય છે આ ચમત્કારિક ફાયદા:
આદુ એન્ટિ બેક્ટેરિયલએન્ટિ ફંગલ અને એન્ટિ ઇન્ફલેમેટરી તત્વો ધરાવે છે. જે તમારા બોડીને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તમને નહી ખબર હોય કે આદુ તો ગુણકારી છે જ પણ તેનું પાણી પણ તેટલું જ ચમત્કારી છે. રોજ જમીને 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીવાથી શરીરમાં એસિડની માત્ર નિયત્રિંત રહે છે. તેમજ કેટલીક ગંભીર બિમરારીઓ સામે લડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.
કઇ રીતે તૈયાર કરશો આદુનું પાણી:
આદુંનું પાણી તૈયાર કરવું ખૂબ જ સહેલું છે. આ માટે આદુના નાના કટકાને રાત્રે એક કપ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળીને તેનો ઉપયોગ કરો.
ડાયાબિટીઝ કરે છે દૂર:
ડાયાબિટીઝના દર્દી માટે આદુનું પાણી ખૂબ જ અસરકારક દવા છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરનું બ્લડ શૂગર નિયત્રિંત રહે છે. ઉપરાંત જેમને ડાયાબિટીઝ નથી તેમને આ રોગ થવાનો ભય ખૂબ જ ઓછો થઇ જાય છે.
કેન્સર સામે કરે છે રક્ષણ:
આદુમાં કેન્સર વિરોધી તત્વો મોટા પ્રમાણમાં મળે છે. તેના પાણીના સેવનથી ફેફસાપ્રોસ્ટેટઓવેરિયનકોલોનબ્રેસ્ટસ્કિન અને પેન્ક્રિએટિક કેન્સર સામે સુરક્ષા મળે છે.
ઇમ્યૂનિટી વધારે છે:
આદુંનું પાણી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. રોજ પીવાથી શરદીઉઘરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગ થતા નથી.
માથાનું દુ:ખાવો છુમંતર:
ગમે તેવા માથાનો દુ:ખાવામાં મદદરૂપ થાય છે. આદુનું પાણી પીવાથી તેમાં રહેલા તત્વો બ્રેઇન સેલ્સને આરામ આપે છે. જેના કારણે માથાના દુ:ખાવાની સમસ્યા દૂર થાય છે.
વજન ઘટાડવામાં સહાયક:
આદુના પાણીથી શરીરનું મેટોબોલિઝમ સુધરે છે. તેથી ફેટ ખૂબ જ જલ્દી બર્ન થઇ જાય છે. તેમજ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.