ગાંધીનગર:GCMMFના ચેરમેન પદે રામસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે.જ્યારે વાઈસ ચેરમેન પદે જેઠા ભરવાડને યથાવત્ રાખવામાં આવ્યા છે.મહત્વનું છે કે GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ.જેમાં 18 સંઘના ચેરમેન સાથે ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો.
જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમારને ચેરમેન પદ સોંપાયું છે.તો જેઠા ભરવાડને વાઈસ ચેરમેન તરીકે યથાવત્ રખાયા છે.
ત્યારે આ મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ફેડરેશનની ચૂંટણીમાં સર્વાનુમતે નિર્ણય કરાયો છે.જ્યારે શંકર ચૌધરીની બાદબાકી મુદ્દે જણાવ્યું કે તે એક સિનિયર નેતા છે.અને શંકર ચૌધરીએ જ રામસિંહ પરમારના નામની દરખાસ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઇને કેટલાય મતમતાંતરો રજૂ કરવામાં આવ્યા હતા અને જેમા ભાજપના દિગ્ગજ નેતા અને પુર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ મોખરે હતું અંતે રામસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.