માં અધ્યાશક્તિ ના પર્વ એવા નવરાત્રી ને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં આજે પણ નવરાત્રી દરમિયાન માતાજીનો ગરબો ખરીદવાનું મહત્વ રહેલું છે. અને માતાજી નો ગરીબો ખરીદવા માટે વઢવાણની બજારમાં ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વારસાગત રીતે માતાજીના ગરબા બનાવતો પરિવાર. આ પરિવારના સભ્યો છેલ્લા 30 વર્ષ થી માતાજી ના ગરબા બનાવે છે. જેમાં ચેનાઈ માટી અને સાદી માટી નો ઉપયોગ કરી ગરબા તૈયાર કરવામાં આવે છે. નાના થી લઇ મોટા એમ ચાર અલગ-અલગ સાઈઝ ના ગરબા બનાવવામાં આવે છે. આ પરિવાર ના સભ્યો ને એક ગરબો તૈયાર કરતા 1 થી 2 દિવસ જેટલો સમય લાગે છે.
તેમજ ગરબો તૈયાર થઇ ગયા બાદ તેના પર ફેબ્રિક કલર ઓઈલ કલર ટીકા અરીશા અને સ્ટોન વડે રંગબેરંગી ડીઝાઇન બનાવી સજાવટ કરવામાં આવે છે. જયારે સાઇઝ અને ડીઝાઇન મુજબ રૂપિયા 50 થી લઇ રૂપિયા 250 સુધી ના દરેક કીમત ના માતાજી ના ગરબા અહી મળી રહે છે. ગરબા બનાવવાના આ વ્યવસાય માં પરિવાર ના દરેક સભ્યો જોડાય છે અને પોતાના થી બનતી મહેનત કરે છે.
નવરાત્રી નો પર્વ આવતા જ માઈભક્તો માતાજી ની ભક્તિ માં લીન થઇ જતા હોય છે ત્યારે વર્ષો થી ભક્તો પણ નવરાત્રી દરમિયાન માતાજી નો ગરબો ખરીદે છે. અને નવ દિવસ આ ગરબા માં દીવા ની જ્યોત પ્રજ્વલિત કરે છે. માતાજી નો ગરબો ખરીદવા હાલ બજાર માં મોટી સંખ્યા માં ભક્તો ની ભીડ જોવા મળી રહ્યા છે. ત્યારે માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ આસપાસ ના લોકો પણ મોટી સંખ્યા માં અહી ગરબો ખરીદવા ઉમટી પડે છે.
આજ ના આધુનિક યુગ માં નવરાત્રી નું પણ આધુનીકરણ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર માં આજે પણ નવરાત્રી દરમિયાન માતાજી ના ગરબા ને ખરીદી તેમાં દીવો પ્રગટાવવા ની પરંપરા અને સંસ્કૃતિ અકબંધ છે.બજાર માં મળતા તાંબા અને પીતળ ના ગરબા ની જગ્યા એ આજે પણ ઝાલાવાડ માં માટી ના ગરબા નું આગવું મહત્વ છે.