આ તરફ અરવલ્લીના મોડાસામાં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાયેલા ગણપતિ મહોત્સવનો આજે વિસર્જન સમાપન યોજાયું.
મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરે યોજાયેલા ગણપતિ મહોત્સવના વિસર્જન નિમિત્તે શોભાયાત્રા પહેલા મંડળ ટ્રસ્ટ અને ભક્તો દ્વારા સરહદ પર દુશ્મનો સામેની લડાઈમાં શહીદ થયેલા જવાનો માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી અને ત્યાર બાદ ગણપતિના વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં બાળકો વૃદ્ધો અને મોટેરાઓ સામેલ થયા.
ઈકો ફ્રેન્ડ઼લી ગણપતિના વિસર્જનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ભક્તો નાચતે ગાજતે મંગલમૂર્તિની વિસર્જન શોભાયાત્રામાં જોડાયા. ગણપતિ બાપા મોરિયા. ઘીના લાડુ ચોરિયા અને આવતા વર્ષે વહેલા પધારજોના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું.