ગઢડાના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે પણ ભાદરવી અગિયારસે નીકળતી ઠાકોરજીની પાલખી યાત્રા બંધ રહી હતી. પાલખી યાત્રા રસ્તાના વિવાદને લઈ 11 વર્ષથી બંધ રહેતા હજારો હરિભકતોમા દુખની લાગણી પ્રસરી હતી.તેમજ તાત્કાલિક રસ્તાના વિવાદનો અંત આવે તેવી હરિભકતોએ આશા વ્યકત કરી હતી.
200 વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિર દ્વારા ભાદરવી અગીયારસે ઠાકોરજીને સુવર્ણ પાલખીમા વાજતે ગાજતે હજારો હરિભકતોની હાજરીમાં ઘેલા નદી પર લઈ જઈ જળવિહાર કરાવવાનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો પરંતુ ઠાકોરજીની પાલખી યાત્રાના રૂટ પરનો રસ્તો ગઢડા નગરપાલિકાએ BAPS સંસ્થાને વેચી દીધો હતો અને BAPS સંસ્થા દ્વારા આ રસ્તો બંધ કરવામા આવતા વિવાદ સર્જાયો હતો.
આમ છેલ્લા 11 વર્ષથી ઠાકોરજીની પાલખી યાત્રા બંધ કરેલ છે. ત્યારે ભક્તો ઇચ્છી રહ્યા છે કે આ રસ્તાનો વિવાદનો અંત આવે અને ફરીવાર 200 વર્ષ જુની પરંપરા મુજબ પાલખી યાત્રા નીકળે.