જૂનાગઢઃ 5 દિવસીય શિવરાત્રીનો મેળો યોજવામાં આવ્યો છે. 9 ફેબ્રુઆરીથી મેળાની શરૂઆત થઇ તહી. ત્યારે આજે આ મેળાનો ચોથો દિવસ છે. જૂનાગઢના આ મેળામાં આત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો છે.
આવતીકાલે શિવરાત્રીના તહેવારને લઇ શ્રદ્ધાળુઓનો ઉમટી પડ્યા છે. આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ભોજન અને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મેળામાં નાગાબાવાઓ આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.
નાગાબાવાઓ આ મેળામાં ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. આ મેળામાં વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે હવે શિવરાત્રીના દિવસે દિગંબર-નાગાબાવાઓની રવાડી નિકળશે.
ત્યાર બાદ તેઓ મૃદીકુંડમાં શાહી સ્નાન કરશે. ત્યારે આવતીકાલે શિવરાત્રીને લઇ જૂનાગઢમાં તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમતી રહ્યા છે.