શ્રીલંકામાં આવેલા શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. તેજ હવાઓ અને વરસાદના કારણે ચાર લોકોના મોત થયા છે. આ ઉપરાંત 13 માછીમારો સહિત 23 લોકો ગુમ છે.
ગુમ થયેલા લોકોને શોધવા માટે શ્રીલંકાની નૌસેનાએ શોધવા માટે પોતાની ટીમો તૈનાત કરી દીધી છે. આવનારા કેટલાક કલાકોમાં આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. ભારતીય મોસમ વિભાગે ખતરાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આજે આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે તમિલનાડુ અને કેરળમાં આવનારા 24 કલાકમાં અને લક્ષદ્વીપમાં 48 કલાક સુધી વરસાદ થઇ શકે છે.