હિમવર્ષાને કારણે ગુમ જવાનોમાંથી 1નું મોત 4 જવાનોની શોધખોળ ચાલુ છે. ભારે હિમવર્ષાને કારણે ગુરેજ સેક્ટરમાં પણ સેનાના 3 જવાનો ગુમ થઇ ગયા હતા જેની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
તમને જણાવી દઇએ કે જમ્મુમાં ભારે હિમવર્ષાના કારણે સૈનિકો પડી ગયા હતા ત્યારબાદથી ગુમ સૈનિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં માત્ર 1 જવાનની લાશ મળી છે. ખરાબ સિઝનના કારણે શોધખોળમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શોધખોળ દરમિયાન સાંબામાં રહેનાર કૌશલ કુમાર સિંહની લાશ જપ્ત કરવામાં આવી છે બાકીના જવાનોની શોધખોળ હજુ સુધી ચાલુ છે.
નોંધનીય છે કે 11 ડિસેમ્બરે પેટ્રોલિંગ કરતી વખતે 3 જવાન લપસીને નાળામાં પડી ગયા હતા. તો બીજી બાજુ કુપવાડાના નૌગામ સેક્ટરમાં પણ 11 ડિસેમ્બરે જ પેટ્રોલિંગ દરમિયાન 2 જવાન લપસી પડ્યા. આ સૈનિકોની શોધ માટે તરત જ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું પરંતુ હજુ પણ 4 જવાનોનો કોઇ પત્તો નથી. ખાહ સિઝનના કારણે સમસ્યા આવી રહી છે.