નવી દિલ્હી: દેશભરમાં નવરાત્રીનો માહોલ છે. દશેરાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે એવું ધ્યાન આપવું જરૂરી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચાર રજાઓ સળંગ આવી રહી છે. એવામાં એ લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેના કામનો બેંકોમાં સીધો સંબંધ છે. અમે જણાવીશું કે આ રજાઓ પહેલા કયા દિવસે તમે તમે તમારા બેંક વાળા સાથે પણ કામ પતાવી દો.
જાણકારી પ્રમાણે આ તહેવારની સિઝનમાં બેંક સળંગ ચાર દિવસની રજા પર રહી શકે છે. 29 સપ્ટેમ્બરે નોમ અને 30 સપ્ટેમ્બરે દશેરા છે. આ બંને દિવસે બેંક બંધ રહેશે. એક ઓક્ટોબરે રવિવાર છે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની પણ રજા છે. આ રીતે સળંગ ચાર દિવસ બેંક બંધ રહેશે.
લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે 29 સપ્ટેમ્બર સુધી તમારા કામ પૂર્ણ કરી લો. ધ્યાન આપવાની વાત પણ છે કે 23 સપ્ટેમ્બરે મહીનાનો ચોથો શનિવાર છે અને 24 સપ્ટેમ્બરે રવિવાર. આ બે દિવસ પણ બેંક બંધ રહેશે.