મહેસાણા: ભાજપના સિનિયર આગેવાન અને રાજ્યસભાના પૂર્વ સાંસદ જયંતીલાલ બારોટનું નિધન થયું છે. ભાજપના દિગ્ગજ નેતાઓમાં તેમની ગણના થતી હતી. લાંબા સમયથી તેઓ બીમાર હતા. તેઓ મહેસાણાના વતની હતા. આજે બપોરે તેમનું પાર્થિવ શરીર ભાજપ કાર્યાલય મહેસાણા ખાતે ૧.૧પ કલાકે અંતિમ દર્શન માટે મુકાશે.
વર્ષ ર૦૧૧માં જયંતીભાઇ બારોટે ગુજરાત હાઉસિંગ બોર્ડનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ વર્ષ ર૦૧૬માં તેઓને આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન બન્યા હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા જયંતીભાઇ બારોટ ભાજપના પીઢ નેતા ગણાતા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સહિતના ભાજપના પ્રધાન મંડળના સભ્યો આગેવાનો અને કાર્યકર્તાઓએ સદ્ગતના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પી હતી.