અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ ધાર્યું નિશાન પાર પાડવામાં સફળ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અનામતને બદલે કોને મત એવી દ્વીધામાં આવી ગયા છે. ગયા મહિને પાસ માંથી વરુણ પટેલ અને અને રેશમા પટેલે વિદાય લઈ લીધી હતી અને ભાજપમાં જોડાઈને સહુ કોઈને આંચકો આપ્યો હતો.
ત્યારે આજે હવે એક સમયના પાસ કોર કમિટીના સભ્ય અને હાર્દિકના નજીકના ગણાતા ચિરાગ પટેલે પણ પાસને અલવિદા કરી દીધું છે. અને જેની સાથે આજ સુધી શિંગડા ભરાવ્યા હતા તેવા ભાજપ સાથે જોડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ચિરાગ પટેલે ઘણા સમય પહેલા હાર્દિક પટેલ સાથે મતભેદ મામલે પોતાનો અલગ ચોકો બનાવી રાખ્યો હતો. પરંતુ આજે ખુલ્લેઆમ ભાજપને સમર્થન જાહેર કરતાં ભાજપ પાસની 3 વિકેટો ખેરવી હેટ્રીક નોંધાવવામાં સફળ થયું છે.
મહત્વનું છે કે ચિરાગ પટેલે નિવેદન કર્યું હતું કે જેલમાંથી છુટયા બાદે અમે જણાવ્યું કે આંદોલન ખોટી દિશામાં જઇ રહ્યું છે. PAAS દ્વારા શરૂ કરવામાં આવેલુ પાટીદાર અનામત આંદોલન હવે સમાજના હિતનું આંદોલન રહ્યું નથી પરંતુ કેટલાક ગણાંગાઢિયા લોકોનું અને કોંગ્રેસના એજન્ટોનું માત્ર આંદોલન રહ્યું છે.