જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ આજે કેસરિયા કરી લીધા હતા. તાઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.પૂર્વ ધારાસભ્ય CM રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા. તો શિક્ષણમંત્રી ભુપેદ્રશસહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતી કોંગ્રેસમાં થી બળવો કરનાર 7 ધારાસભ્યમાંથી રાઘવજી પટેલ એક છે. અને આજે તેઓ વિધિવત રીતે ભાજપ સાથે જોડાણ કર્યુ હતુ.
રાઘવજી મુંગરા પટેલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય હતા. ધ્રોલ તાલુકા ના મોટા ઇટાળા ગામના તેઓ વતની છે. તેમણે LLB સુધીનો અભ્યાસ કરેલ. તેનો મુખ્ય વ્યવસાય ખેતી અને રાજકારણ રહ્યો છે. તેમને સંતાનમાં બે પુત્રો દેવેન્દ્ર અને મહેન્દ્ર.
4.66 કરોડની મિલ'ત દર્શાવનાર આ ધારાસભ્ય પર બે ફોજદારી કેસ પેન્ડિંગ બોલી રહ્યા છે. 1975થી 1982 સુધી ધ્રોલ તાલુકાના યુવાકોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. ત્યારબાદ કાલાવડ વિધાનસભામાં 1985માં કેશુભાઇ પટેલ સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં જામનગર જિલ્લા પંચાયત લતીપુર સીટના સદસ્ય તરીકે 1987થી 1990 સુધી હતા.1990થી 1998 સુધી બે ટર્મ કાલાવડના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
1996માં મુખ્યમંત્રી સુરેશ મહેતા સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂકયા છે. તો 1997થી 98 સુધી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા ત્યારે કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂકયા છે. 1999થી 2002 સુધી 24-જોડિયા અને વર્ષ 2007થી 2012 સુધી 24-જોડિયા અને 2012માં જામનગર 77 એટલે કે ગ્રામ્ય વિધાનસભાના મત વિસ્તારમાં વિજેતા થયા છે.