આણંદ: આણંદમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કાર્યાલયમાં ભાજપ હોદેદારો સાથે બેઠક યોજી હતી. વિધાનસભા મતવિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ઘરે ઘરે ફરી ભાજપની વિકાસ ગાથાની પત્રિકા વહેંચી હતી.
આનંદીબેન પટેલે બોચાસણવાસી અક્ષરપુરૂષામ સ્વામિનારાયણ સંસ્થાના વડામહંત સ્વામીના આણંદ સ્થિત મકાનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અંબાજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કર્યા હતા.