પોરબંદરઃ બી.સી.સી.આઈના પૂર્વ અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના સાંસદ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે પોરબંદરની ઐતિહાસિક દુલીપ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. બેટીંગ તથા બોલીંગ પણ કરી અને ગ્રાઉન્ડના વિકાસ અંગેની વાતો પણ કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સહયોગથી ગ્રાઉન્ડનો વિકાસ કરવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત તેમણે કિર્તી મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અને હિમાચલના પ્રદેશ સાંસદ અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે પોરબંદરના સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી અને તેમણે ત્યાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને વિકસાવવાની વાત કરી હતી. સાથે સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. ઉપરાંત ગ્રાઉન્ડનો વિકાસ કરવા અંગે પણ ચર્ચા કરી હતી.