ક્યારેક ખૂબ મહેનત કરવા છતાં પૈસાની તંગી અને મંગળદોષ જેવા દુર્ભાગ્યને લગતી તકલીફો સહન કરવી પડે છે. જેમાં લક્ષ્મીજીની કૃપા થાય તો જ ઉગરી શકાય છે. આજે અમે તમને જણાવીશું ચોખાના કેટલાક સરળ ઉપાય જેનાથી લક્ષ્મીજીની કૃપા મળી શકે છે.
સવારે સ્નાન કર્યા પછી ચોખાના 21 દાણાને હળદર અને પાણીથી પીળાં કરી લાલ રંગના રેશ્મી કાપડમાં બાંધીને લક્ષ્મીજીનું પૂજન કરો પછી આ પોટલીને પૈસા રાખવાની જગ્યાએ મૂકવાથી ધન સંબંધિત તકલીફો દૂર થઇ જશે.
નોકરી ન મળતી હોય અથવા તો ઑફિસમાં તકલીફો વધી ગઇ હોય તો ગળ્યા ચોખા બનાવીને ગાયને ખવડાવો. નોકરી સંબંધિત કોઇ પણ મુશ્કેલીઓ દૂર થઇ જશે.
જે વ્યકિતને મંગળ દોષ છે તે વ્યકિતએ સોમવારે ભાત વડે શિવલીંગનો શણગાર કરી શિવપૂજા કરવાથી મંગળના દોષથી રાહત મળશે.
તમારા બધા જ કામ અસફળ થતા હોય અથવા તો કામ પૂરા ન થતા હોય તો તેની પાછળનું કારણ પિતૃદોષ હોઇ શકે છે. તે માટે ખીર અને રોટલી કાગડાને ખવડાવો. તમામ અધૂરાં કાર્યો ઝડપથી પૂરા થઇ જશે.