જો તમે ઑફિસમાં કૉમ્યૂનિકેશન માટે ફોન અને ઇ-મેઇલની સાથે જ WhatsApp ગ્રુપ પણ એક મહત્વનું માધ્યમ બની ગયું છે. પણ જો તમે તમારી ઓફિસના ગ્રૂપમાં મેસેજ મોકલવાના શોખીન હોવ તો શિષ્ટાચારના આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.
સામાન્ય રીતે મોડી રાત સુધી જાગતા લોકો WhatsAppમાં મેસેજ મોકલતા રહે છે. પરંતુ ઘણા લોકો એવા છે જે 11 વાગ્યાની પછી સૂઇ જાય છે. અથવા તો પોતાનો પર્સનલ ટાઇમ ફેમિલી સાથે પસાર કરવાનું પસંદ કરે છે. આવામાં જરૂરી છે કે તમે 11 વાગ્યા બાદ આ ગ્રૂપ પર મેસેજ મોકલવાથી બચો. ખાસ કરીને ત્યારે કે જ્યારે ગ્રૂપના અન્ય લોકો 11 વાગ્યા બાદ મેસેજ ન મોકલતા હોય. આ સાથે જ સવારે સાત વાગ્યા પહેલાં પણ મેસેજ ન મોકલો.
ક્યારેક ક્યારેક તમે કોઈ જોક કે સારો વીડિયો ગ્રૂપમાં શેયર કરી શકો છો પરંતુ તેને આદત ન બનાવશો. ખાસ કરીને એવા વીડિયોઝ તો બિલકુલ ન મોકલશો જે કોઈ એક મુદ્દા પર હોય અથવા તો કોઈ વિચારધારાના સમર્થક કે વિરોધી હોય. એ પણ ધ્યાન રાખો કે કામ સંબંધિત વાતો અને વીડિયો પણ વધુ શેર ન કરો તેનાથી લોકો ચીડાઈ શકે છે. તમારા દ્વારા આમ કરવાથી લોકો તમને ગંભીરતા લેવાનું છોડી પણ શકે છે.
તમને સવારે સવારે ઊઠીને 'ગુડ મોર્નિંગ' કહેવું પસંદ હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારી આ સ્ટાઇલ સૌને પસંદ હોય. આથી રોજ રોજ ગુડ મોર્નિંગના મેસેજ ન મોકલો. આ સિવાય અન્ય પ્રકારની શુભકામનાઓ પણ માત્ર તહેવાર કે કોઈ ખાસ પ્રસંગે મોકલી શકાય છે. આ સાથે જ એ પણ ધ્યાન રાખવું કે ધર્મ સાથે જોડાયેલા મેસેજ કે વીડિયોઝ ન મોકલો. તેનાથી તમારા વિશે ખોટા વિચાર બની શકે છે.
ભલે તમારી પાસે ઘણા બધા મેસેજ આવતા હોય પણ એવા મેસેજીસને તો ક્યારેય ફોરવર્ડ ન કરો જે વાઇરલ થઈ ચૂક્યા હોય. વાસ્તવમાં આવા મેસેજ ઘણા સ્ત્રોતોથી ચાલે છે જેને કારણે સૌની પાસે તે ક્યાંકથી ને ક્યાંયથી આવી જાય છે પણ જો તમે તે ઓફિસ ગ્રૂપમાં મોકલશો તો તે અશોભનીય છે.
જો તમે કોઈને તમારા ઓફિસ ગ્રૂપનો મેમ્બર બનાવવા માગતા હોવ તો તે માટે તમે પહેલાં તમારા ગ્રૂપ સાથે એક વાર ચર્ચા જરૂર કરી લો. જો તેમની સંમતિ હોય તો જ નવી વ્યક્તિને ઓફિસના વ્હોટ્સએપ ગ્રૂપમાં જોડો.