એક વર્ષ અગાઉ કચ્છ લોડાઈ ગામ પાસે આવેલ કાસડુંગર પાસે સંસોધન દરમિયાન અલભ્ય અને મહાકાય જીવાશ્મિ મળી આવ્યું હતું....
કચ્છઃ કચ્છ યુનિવર્સીટી વિધાર્થી અને જર્મન ભૂસ્તરશાસ્ત્રી કાસ ડુંગર નજીક આવેલી જુરાસિક સમયની સાઈટો સંસોધન કરી રહ્યા હતા તે દરમિયાન જમીન દટાયેલી હાલતમાં મહાકાય આવશેષ મળી આવ્યું હતું. પ્રથમ તબક્કે ડાયાનાચોર અવશેસ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. દિલ્લી યુનીવર્સીટીનાં વેજ્ઞાનિકની અનેક સંસોધન દરમિયાન ૧૫૦ મિલિયન એટલે કે ૧૫૦૦ લાખ વર્ષ જુના દરિયાઈ જળસીમા ફરતી ઇથ્યોચોરસ નામની માછલીના હોવાનું જાણવા મળ્યું છે.
આ નવા જીવાશ્મિનું મળવું એ મોટી ઉપલબ્ધિ છે. જેનાથી જુરાસિક કાળમાં ભારતની ભૌગોલિક અને પ્રાકૃતિક સંરચના તથા વન્યજીવો વિશેના અભ્યાસ અને જાણકારીમાં ઘણી મદદ મળશે. આ પ્રકારના જીવાશ્મિ ભારતમાં મત્ર ત્રણ જગ્યા મળ્યા હોવાના પુરાવા છે.
કચ્છમાં મળેલ સમ્પૂર્ણ કદનું જીવાશ્મિ મળી આવ્યું છે. હાલ કચ્છ યુનીવર્સીટી ખાતે ઇથ્યોચોરસ નામના જીવાશ્મિ અવશેષ જીયોલોજીકલ મ્યુઝીયમ રાખવામાં આવ્યા છે. કચ્છ અગાઉ ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિ અને તેનીબાજુમાં મળેલ કરોડો વર્ષ પહેલા મળેલા વુડફોસીલ્સએ સાબિત કર્યું હતું.
કચ્છ જમીન અસ્તિત્વ ખુબજ જુનું મહત્વપૂર્ણ છે. કચ્છના લોડાઈ નજીક મળી આવેલ અવશેષ સાબિત કરી દીધું છે કે કચ્છની જમીનનો નાતો જુરાસિકના સમયનો છે.