ભાવનગર: ગોહિલવાડને ક્રિકેટ સ્ટેડીયમ મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આગેવાન નિરંજન શાહ ભાવનગરની મુલાકાતે છે.
સૌ પ્રથમવાર નાઇટ ક્રિકેટ એકેડમી શરૂ કરાઇ ત્યારે તેમણે જણાવ્યું કે જો સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ભાવનગરમાં એક સારૂ સ્ટેડિયમ બનાવીશું.
આ ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વરણજી ખેલાડીઓ નવા યુવા ખેલાડીઓ તેમજ ઉદ્યોગપતિ સંતોષ કામદાર રમેશ મેંદપરા સહીતના મહાનુભાવું હાજર રહ્યાં હતાં.
આમ તો ભાવનગર માંથી પગેલાની જેમ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મળશે અને ભાવનગરનું નામ રોશન કરશે તેમ જણાવ્યું હતું.