મુંબઈના દાદર સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ લાગતાં ભાગદોડ મચી જવા પામી હતી મુસાફરોથી ભરેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અનેક કલાકો સુધી ટ્રેન સેવા થંભી ગઈ હતી.જોકે આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી.આગ લાગવાના કારણે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
ધુમાડાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.દાદર સ્ટેશન પર છત્રપતિ શિવાજી ટર્મિનસથી થાને જતી ટ્રેનમાં અચાનક ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હતી.આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.જોકે આગ લાગવાના કારણે અનેક ટ્રેનની પ્લેટફોર્મ બદલવામાં આવ્યા હતા અને પ્લેટફોર્મ 1નું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે અનેક ટ્રેન લેટ પડી હતી.
ઉલ્લેખનીય છે કે 2018ના આગમનની શરૂઆતથી મુંબઇ સાથે આગને જાણે લગાવ થયો હોય તેમ છેલ્લા એક માસથી વધુ સમયથી મુંબઇમાં ઠેર-ઠેર આગની વણજાર ચાલું છે.નવા વર્ષની ઉજવણીની રાત્રે પણ મુંબઇના એક પબમાં હુક્કાને કારણે આગ લાગવાને કારણે 14 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા ત્યાર બાદ પણ આગ લાગ લાગવાના કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા હતા.