નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ટુરિસ્ટ સ્પોર્ટ હનુવંતિયામાં જળ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ બાદ સહેલાણીઓ માટે બનાવવામાં આવેલા ટેન્ટમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં ટેન્ટ સળગીને રાખ થઈ ગયા હતા. આગ એટલી ભયંકર હતી કે ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવાયો હતો.
આ દરમિયાન સમગ્ર વિસ્તારની વીજળી બંધ કરવામાં આવી હતી...આગ લાગી તે સમયે મુખ્યમંત્રી શિવરાજશસહ ચૌહાણ પણ હનુવંતિયામાં જલ મહોત્સવમાં આયોજિત ગતિવિધિઓ અને આયોજનનું નિરીક્ષણ કરવા ગયા હતા..
આગ લાગતાં જ શિવરાજશ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસના આદેશ આપ્યા. જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
નોંધનીય છે કે આ જલ મહોત્સવ 80 દિવસ સુધી ચાલનાર છે અને 2 જાન્યુઆરી 2018ના રોજ સમાપ્ત થશે.