જામનગરઃ ખંભાળિયાનાકા બહાર વકીલની ઓફિસમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયુ હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.
આ ઘટનામાં એક બાળકીને પણ સામાન્ય ઈજા થઈ હતી. ખંભાળિયા નાકા બહાર ચૈત્યન કોમ્પલેક્સ સ્થિત વકીલની ઓફિસમાં આગ લાગી હતી.
ઉલ્લેખનીય છે કે વકીલની ઓફીસમાં આગ લાગી હતી. જેમાં ઓફિસના એક વ્યક્તિનું મોત થયું હતું. એક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.