મુંબઇ: અભિનેતા અને ફિલ્મમેકર નીરજ વોરાનું ગુરુવારે સવારે 4 વાગ્યે ક્રિટી કેર હોસ્પિલમં નિધન થઇ ગયું છે. એમને પહેલા ફિરોઝ નાડિયડવલાના બરકત લઇ જવામાં આવશે ત્યારબાદ 3 વાગ્યે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પરેશ રાવે ટ્વિટ કરીને એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઇએ કે ગત વર્ષે ઓક્ટોબરમાં એમને હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ એમને દિલ્હી સ્થિત એમ્સમાં એડમિટ કરવામાં આાવ્યા હતા. ત્યાં તેઓ કોમામાં જતા રહ્યા હતા. એમને વેન્ટિલેટર પર રાખવમાં આવ્યા હતા.
એમ્સથી એમને એણના મિત્ર ફિરોઝ નાડિયાડના વાલાના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ફિરોઝ નાડિયાડવાલા એમની સારી જવાબદારી ઊઠાવી રહ્યા છે.
માર્ચ 2017થી જ 24 કલાક એક નર્સ વોર્ડ બોય અને કુક નીરજની સાથે રહેતા હતા.
જણાવી દઇએ કે નીરજે 'ફિર હેરાફેરી' 'ખિલાડી 420' જેવી ફિલ્મ નિર્દેશિત કરી હતી. આ ઉપરાંત નીરજ રાઇટર પણ હતા. એમને 'રંગીલા' 'અકેલે હમ અકેલે તુમ' 'તાલ' 'જોશ' 'બદમાશ' જેવી ફિલ્મોના સંવાદ લખ્યા હતા. નીરજ હેરાફેરી 3 પર કામ કરી રહ્યા હતા. પરંતુ બીમારીના કારણે એ અટકાઇ ગઇ. જાણવા મળી રહ્યું છે કે એ આર્થિક પરિસ્થિતિ સામે પણ લડી રહ્યા હતા.