દિવાળીમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 1000 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદ અને સુરત ડેપોથી ગુજરાત અને આંતર રાજ્યમાં જતી બસોને માર્ગો પર દોડાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. 18 ઓટોબર થી લઈને 22 ઓટોબર સુધી અમદાવાદથી 300 અને સુરતથી 700 જેટલી બસો રાજ્યમાં વિવિધ સ્થળો જશે.