જામનગર: માસૂમ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાવકા પિતા અને ભાઇએ અનેક વખત શારીરિક ત્રાસ આપ્યો હતો. સાવકા ભાઇએ વારંવાર દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે. કૃષ્ણનગરના રહીશોએ સમગ્ર ઘટનાને લઇને ફિટકાર વરસાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કૃષ્નગરમાં 9 વર્ષની બાળકીની ક્રૂર હત્યા નિપજાવવામાં આવી હતી. સાવકા પિતા અને ભાઇએ હત્યા કરી છે. ભાઇ અને પિતા ઘર છોડી ચાલી ગયા છે. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક માસુમ બાળકીની ક્રુરતા પૂર્વક અને રીબાવી રીબાવીને હત્યા નિપજાવવામાં આવી છે. પત્ની ઘરે ચાલી નિકળ્યા બાદ સાવકી પુત્રી પર સાવકા બાપ અને ભાઇએ લાંબા સમય સુધી અનહદ શારિરીક ત્રાસ ગુજારી મોતના મુખમાં ધકેલી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો સાવકા નાબાલીક ભાઇએ તો હદ વટાવી બાળકી પર અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાનું પીએમ રીપોર્ટમાં બહાર આવ્યું છે.
ઘર છોડી ચાલ્યા ગયાના મૃતક બાળકીના નરાધમ સાવકા બાપ સુધી પહોચવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ શખ્સ પોલીસના હાથમાં આવ્યે પોલીસ દ્વારા ચોક્કસ હકિકતો જાહેર કરાશે. બીજી તરફ કૃષ્ણનગર સહિત શહેરમાં આ ઘટનાને લઇને લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. તો પાડોશીઓએ સાવકા બાપ અને ભાઇના આ કૃત્યને રોષ પૂર્વક વખોડી કાઢયું હતું.