જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન અધિકૃત કશ્મીરને લઈને ફરી એકવાર વિવાદીત નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે POK હંમેશા પાકિસ્તાનની પાસે જ રહેશે.
POK પર પાકિસ્તાનનો જ હક્ક છે. ફારુક અબદ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન પણ કશ્મીર વિવાદનો હિસ્સો છે. જેથી કરીને આ મામલે તેની સાથે વાતચીત કરવી જોઈએ. તેણે કહ્યું કે અડધું કશ્મીર પાકિસ્તાનની પાસે છે અને અડધું કશ્મીર ભારત પાસે છે.
કશ્મીરને જે ભાગ પાકિસ્તાન પાસે છે તે તેનો જ પાસે રહેશે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું કે કશ્મીરનો અડધો ભાગ જે ભારત પાસે છે. તે ભારતનો જ ભાગ રહેશે.
હું તેમને સ્પષ્ટ કહું છું કે ન માત્ર હિન્દુસ્તાનની જનતાને જ પરંતુ સમગ્ર દુનિયાને કહું છું કે જે હિસ્સો પાકિસ્તાન પાસે છે. તે પાકિસ્તાનનો હિસ્સો છે અને આ હિસ્સો હિન્દુસ્તાનનો છે. આ નહીં બદલે. તે કરી લે તેને જેટલાં યુદ્ધો કરવા હોય તેટલા આ નહીં બદલાય અને જો આ જ પરિસ્થિતિ છે.
તો તેમણે વાતચીત કરવી પડશે કે અમે લોકો શાંતિથી રહી શકીએ. બંને હિસ્સાઓ જે તેની પાસે છે અને આ હિસ્સો તેમના માટે જરૂરી છે બંનેને સ્વાયાતા આપવામાં આવે.
જોકે ફારુખ અબદ્દુલાના આ નિવેદનને લઈને ભાજપ નેતા ગીરીરાજસિંહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને તેણે કહ્યું હતું કે POK ભારતનો જ એક ભાગ છે. જે ભવિષ્યમાં ભારત પાછો લઈને જ રહેશે.