ગીર સોમનાથના કોડીનારમાં ખેડૂતોને મગફળીના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોને મગફળીના ભાવ ન મળતા ખેડૂતોએ માર્કેશટગ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો. મહત્વનુ છે કે સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના ભાવ મળે તે માટે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તેમ છતા ખેડૂતોને હાલમાં 20 કિલો મગફળી માત્ર 500 રૂપિયામાં વેચવી પડી છે.
કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી વેચવા માટે લાઈનો લગાવે છે ત્યારે ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ટેકાના ભાવે જે મગફળી ખરીદી થાય છે તેમા વારો આવતો નથી. ટેકાના ભાવ ખરીદતી વખતે મગફળીમાં પહેલા સ્ટ્રેશન કરાવવુ પડે છે અને 1 મહિના બાદ મગફલી વેચાય છે.
આ દરમ્યાન ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેના પગલે ખેડૂતોને મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેચવી પડે છે અને વેપારીઓ તેનો ફાયદો ઉઠાવે છે અને ખેડૂતોને ભાવ મળતા નથી. ત્યારે હવે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને 200 થી વધુ ખેડૂતોએ હોબાળો કર્યો હતો.