પ્રધામંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભેંકરા ગામમાં મોબાઈલ ટાવરના અભાવે લોકોને મોબાઈલ વાપરવામાં તકલીફ પડી રહી છે.જેને લઈને લોકોએ આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.
સાવરકુંડલાના ભેંકરા ગામમાં નથી મોબાઈલ ટાવર
PM મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું થશે સાકાર?
ભારતભર ડિજિટલ થાય કે ન થાય ગુજરાત થશે ખરું?
ગ્રામજનોની વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી
મોબાઈલ ટાવર નહીં તો મત નહીંનું સૂત્ર
ભેંકરા ગામના લોકોએ તંત્રને અનેક વાર લેખિતમાં રજૂઆત કરી છે. તેમ છતા કોઈ પગલા લેવાય નથી. લોકોને આધુનિક ઈન્ડિયા બનાવવાનું સપનું મોદીએ જોયું છે પણ તેમના માદરે વતન ગુજરાતનું આ ગામ ઘણું કહી રહ્યું છે. લોકોને કોઈક નો ફોન આવે તો મંદિરની દીવાલો અને ધાબા પર ચઢીને વાત કરવી પડે છે. લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા વિકાસના દાવા કરવામા આવે છે. બધુ ઓનલાઈન કરવામાં આવ્યું છે. તો જો મોબાઈલમાં ટાવર જ ન આવે તો ડિજિટલ કેમના થવું.
ભારતમાં ડિજિટલ ઈન્ડીયાની વાતો કરાઈ રહી છે અને જોરોશોરોથી પ્રચાર પ્રસારમાં કરોડોનો ધુમાડો કરાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના આ ગામડાની સ્થિતિ ઘણુ કહી જાય છે. ગ્રામજનોએ સ્થાનિક તંત્રને લેખિતમાં ચીમકી આપી છે કે તેમનો આ પ્રશ્ન હલ નહી થાય તો આવનારી વિધાનસભા 2017ની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે.
થોડા સમય પહેલા રાજસ્થાનના એક મંત્રી ઝાડ પર ચઢીને મોબાઈલ પર વાત કરતા હતા..ત્યારે જો ભાજપ સરકારના મંત્રીને જ આવી તકલીફ હોય તો આમ પ્રજા નું શું?હાલ તો ભેંકરા ગામના લોકોએ સૂત્ર આપ્યું છે કે મોબાઈલ ટાવર નહીં તો વોટ નહી. આવનારા સમયમાં તંત્ર શું કરે છે તે જોવું રહ્યું.