ક્યારેક પરિવારમા એવુ બને છે આપણા અથાગ પ્રયત્ન કરવા છતાં પરિવારની વ્યક્તિ આપણી કદર જ ના કરે. આપણે સાચા હોવા છતા લોકોને આપણી વાત નકામી લાગતી હોય છે અને પરિવારનુ કોઇ સભ્ય આપણી વાતને સ્વીકારવા તૈયાર જ નથી થતું હોતુ. આમ જ્યારે આપણી જ પરિવારની વ્યક્તિ આપણી કોઇ બાબતો ના માને ત્યારે ખુબ દુ:ખ થતુ હોય છે. પરંતુ આ બાબતોથી હવે પરેશાન થવાની કોઇ જ જરૂર રહેતી નથી. આ મંત્રનો નિત્ય અભ્યાસ કરવામા આવે તો પરીવારની દરેક વ્યક્તિ તમારી વાત માનશે અને પરિવારમાં તમારી ખાસ કદર થશે.
આ સિધ્ધમંત્રના ઉપયોગ પહેલા આટલી વાતનું ખાસ ધ્યાન રાખવામા આવે તો આ મંત્રનુ ફળ બહું જ ઝડપથી મળશે અને પરીવારની જે વ્યક્તિ તમારી કદર નહીં કરતી હોય કે તમારુ માનવામા નહીં આવતુ હોય તો તમામ બાબતોનુ નિરાકરણ આવાશે.
મંત્રનો ઉપયોગ પહેલા આટલી બાબતનું ખાસ ધ્યાન રાખો
પહેલાં એક મુઠ્ઠી મીઠું. ચંદનસફેદ મીણબત્તીસફેદ કાપડઅને એક સોપારી લઇને દક્ષિણ દિશાની તરફ મોં કરીને જમીન પર બેસી જાઓ. હવે મીણબત્તીને પ્રગટાવો અને તમારા માથા પર અને સફેદ કપડાં પર ચંદનથી તિલક કરો હવે સોપારીને તમારા હાથમાં પકડીને આ મંત્રને 131 વખત વાંચો
ઓમ નમો ભગવતે કામદેવાય યસ્ય દર્શયોં ભવામી
યસ્ય યસ્ય મમુ મુખમ્ પશ્યતિ તં તં મોહયતિ સ્વાહા
આ સોપારીને મીઠાની ઢગલી ઉપર મૂકી દો. આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય સતત 11 દિવસ સુધી મીઠા અને સોપારી ઉપર કરવાનો છે. આ ઉપાયને બુધવારના દિવસથી જ શરૂ કરો.
11મા દિવસે સોપારીને મીઠાની ઉપર રાખીને સફેદ કપડામાં લપેટી લો અને કોઇ નદીમાં પધરાવી દો. આ મંત્ર-વિધિ દરેક લોકોએ સ્વીકારવી કે ના માનવી એ દરેકની શ્રદ્ધા અને આસ્થા પર નિર્ભર કરે છે.