નવી દિલ્હીઃ પ્રોવિડન્ટ ફંડ પર આપવામાં આવતા વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પીએફમાં જમા રાશિ પર 8.65 જેટલું વ્યાજ મળશે તેવો અંદાજ હતો. પણ બુધવારે નક્કી થયા પ્રમાણે EPFOના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ 8.65 ટકાથી ઘટાડીને 8.55 ટકા કરવામાં આવ્યો છે.
આમ પ્રોવિડન્ટ ફંડ પર અગાઉની સરખામણીમાં ઓછું વ્યાજ મળશે. આ પહેલા એવી ધારણા હતી કે સરકાર પ્રોવિડન્ટ ફંડ પોતાના 5 કરોડ સભ્યોને જમા રાશિ પર 8.65 જેટલું વ્યાજ આપી શકે છે.
EPFOએ ચાલૂ વર્ષ માટે વ્યાજ દર 8.65 ટકા બનાવી રાખવા માટેના અંતરને નાથવા માટે આ મહીનાની શરૂઆતમાં 2 886 કરોડ રૂપિયાના એસચેંજ ટ્રેડેડ ફંડને વેચીને ચુકવવા પાત્ર રકમ મેળવી લીધી હતી.
ઉલ્લેખનિય છે કે આગલા વર્ષે 2015-16માં ઈપીએફઓ પર 8.8 ટકા જેટલું વ્યાજ આપ્યું હતું. ઈટીએફમાં પોતાનો હિસ્સો વેચીને ઈપીએફઓએ આ મહિને 1054 કરોડ રૂપિયાની આવક કરી છે જે 8.65 જેટલું વ્યાજ આપવા માટે પૂરતી છે.