રાજ્યમાં ચૂંટણીને ગણતરીના દિવસોની વાર છે ત્યારે રાજ્ય સરકાર તમામ વર્ગને રિઝવવા પ્રયાસ કરી રહી છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ભાજપના પેજ પ્રમુખ સંમેલનમાં રૂપાણીએ ખેડૂતો માટે મહત્વલક્ષી જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે વ્યાજ માફીની મહત્વની જાહેરાત કરી છે...ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે. રૂપિયા 3 લાખ સુધીની લોન ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. રૂપાણીની આ જાહેરાતને કારણે રાજ્યના 25 લાખ ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે.
25 લાખ ખેડુતોને ઝીરો ટકા વ્યાજે લોન મળશે
પેજ પ્રમુખ સંમેલનમાં મુખ્યમંત્રીની ખેડૂતલક્ષી મોટી જાહેરાત
ગુજરાત સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત
ગુજરાતનાં તમામ ખેડૂતોની લોનનું વ્યાજ માફ - રુપાણી
પેજ પ્રમુખ સંમેલનમાં મુખ્યમંત્રીની ખેડૂતલક્ષી મોટી જાહેરાત