જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના ઉરીમાં સેના અને આતંકીઓની વચ્ચે આજે સવારે અથડામણ ચાલુ છે. જેમાં સુરક્ષાબળોએ આતંકીનો ઠાર કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ મુઠભેદમાં ત્રણ થી ચાર આતંકવાદી છે.
અથડામણ ઉરીના કલગાહી ગામમાં ગત રાતથી શરૂ થયો હતો. જ્યાં સુરક્ષાબળોથી 3 થી 4 આતંકીઓનો ઘેરાવો કરી લીધો હતો. જાણવા મળી રહ્યું છે સુરક્ષાબળોએ ઘેરાવો કર્યા બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ સુરક્ષાબળો એમને જોરદાર જવાબ આપી રહ્યા છે.
જણાવી દઇએ કે લેનાને કલગાહી ગામમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ કાર્યવાહી કરી.
બીજી બાજુ બારામૂલા જિલ્લાના સોપોરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નજીક ગ્રેનેડ હિમલો થયો છે. જેમાં 3 લોકો ઘાયલ થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.