ભાવનગરઃ જૈન મહાતીર્થ પાલિતાણામાં શેત્રુંજ્ય ડુંગર પર વીજળી પડી હતી. આ વીજળી ડુંગર પર નવ ટૂંકની બાજુમાં દેરાસના શિખર પર પડી જેને લઇ ઘુમ્મટ ખંડિત થયો હતો. સૌરાષ્ટ્રમાં થોડા દિવસથી મેઘમહેર થઇ રહી છે. જે અંતર્ગત તા.16ના રોજ પાલિતાણામાં 39 મીમી વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ ગઇ કાલે ધીરે ધીરે તા.17ના રોજ વરસાદે વિરામ લીધો હતો.
પરંતુ ફરી આજે 19 મીમી વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા. તે દરમિયાન પાલિતાણા સ્થિત શેત્રુંજ્ય ડુંગર પર વીજળી પડી હતી. જેમાં ડુંગર પર નવ ટૂંક પર આવેલા દેરાસરના શિખર પર વીજળી પડી. જેને લઇ ઘુમ્મટને નુકશાન થયું હતું. દેરાસરના શિખર પરના ગોળ ઘુમ્મટમાં તિરાડ પડી ગઇ હતી. જેથી ઘુમ્મટ ખંડિત થયો હતો.