ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. એ સાથે જ સરપંચપદ અને સભ્યપદ માટેના ઉમેદાવારોનું ભાવિ પણખૂલશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની 1211 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું જેમાં 5928 ઉમેદવારોએ સરપંચ પદ માટે અને 22 036 ઉમેદવારોએ સભ્યપદ માટે ઉમેદવારી નોધાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસને રાજકીય વિચારધારાને વિસ્તારવા અને આગામી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માર્ગ કંડારવા સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી મહત્ત્વરૂપ બની રહી છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ પક્ષની વિચારધારાને વરેલા ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
મહત્વનુ છે કે 1425 પૈકી 214 ગ્રામપંચાયતો સમરસ થઈ છે. ત્યારે ચૂંટણી લડેલા ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેંસલો થશે.